આપણે દરરોજ આપણી જાતને અરીસામાં જોઈએ છે, આપણો બાહ્ય દેખાવ બરાબર છે કે નહીં, પણ કદી આંતરીક દેખાવ જોઈએ છે ખરા? શરીર તો રોજ જોઈએ છે અરીસામાં પણ કદી મનને જોઈએ છે?
આપણી ખુશીઓનો ખજાનો આ જ મનના અરીસા માં છુપાયેલો છે. આ અરીસો શોધવા માટેની એક જ શરત છે કે આપણે એકાંતમાં પોતાની જાત જોડે જોડાવું પડશે.
દિલની જરૂરિયાત અભિવ્યક્તિની (Expressiveness) હોય છે, એ આપણે પુરી નથી કરતા એટલે અરીસો મનનો નથી શોધી શકતા અને જોઈ શકતા.
શું ગમે છે – એ અભિવ્યક્ત કરો (બોલો)
શું નથી ગમતું – એ બોલો.
શું ગમે છે – તે પહેરો.
શું નથી ગમતું – તે ન પહેરો.
શું ભાવે છે – તે ભોજન લો.
શું નથી ભાવતું – તે ભોજન ન લો.
પણ આપણે એકદમ ઊંધું કરીએ છે.
આપણને જે ગમે – એ નથી બોલતા, પણ બીજાને શું ગમશે તે બોલીએ છે. આપણને જે પહેરવું હોય તેમાં શરીર સાથ ન આપે, વજન વધી જાય અને જે પહેરાય એ અનુકૂળ ન પડે ( Not suitable an outfit)
આપણને જે ભોજન લેવું હોય એનાથી પેટ બગડે, કાં તો અમુક લોકો એમાં પણ દેખાદેખી કરતા હોય છે. આવા અઢળક કારણો હોય છે.
એટલે પછી અરીસો ક્યાંથી મળે? અને આપણે મનોમન દુઃખી થઈ જઈએ છીએ.
ખુશી મેળવવા મનને તાલીમ આપવી પડશે (to train your mind). દિલની ઈચ્છાઓ તમે પોતે સમજો અને મનને એ ઈચ્છાઓ પૂરી કરવા તાલીમ આપો. એટલે કે તમારા મનને જે ગમે એ પ્રમાણે કામ કરાવડાવો. ખુશી મેળવવા પણ પ્રયત્ન કરવો પડે છે, કશું જ મહેનત વગર ન મળે.
જે ગમે છે એ કરતા નથી અને જે કરીએ છે એ ગમતું નથી – આ જ કારણે આપણે બનાવટી નકાબ ( Sophistication) પહેરી લઈએ છીએ. એટલે મનનો અરીસો નથી મળતો.
આપણી ઈચ્છાઓ, આપણું મનગમતું કાર્ય આપણે જ કરવું પડે છે, કોઈ બીજા નહીં કરે. આપણે જ આપણી ખુશીઓ માટે પ્રયત્નો કરવા પડશે.( Take stand for your happiness by yourself). આપણે આપણા પતિ, પત્ની, માતા, પિતા, મિત્રો આ બધા પર નિર્ભર રહીએ છીએ કે જો આ બધા આપણને ખુશ કરે તો જ ખુશ રહીશુ, આ જ વિચારધારા આપણને નિરાશા તરફ લઈ જાય છે.
બાહ્ય દેખાવ માટે આપણે આ બધા પર નિર્ભર/ આધારિત નથી રહેતા, જાતે જ પોતાને અરીસા માં જોઈએ છે, તો આંતરીક દેખાવ કેમ જાતે નથી જોતા? આપણને શું ગમશે, ફાવશે, શું જોઈએ છે, એ આપણાથી વધારે કોણ જાણી શકે?
તમારા દિલ અને મન વચ્ચે બનાવટી નકાબ (Sophistication) નહીં રાખો, તો મનનો અરીસો મળી જશે. દિલની ઈચ્છાઓ, ભાવનાઓને ઓળખી, મન પાસે પૂરી કરાવડાવો તો જ આનંદ, ખુશી મળશે.
મનને ઓળખીને અરીસો મળશે,
મનથી ભાગીને નકાબ મળશે.
દિવસ દરમિયાન અમુક એકાંતની પળો તમારા માટે કાઢો અને મનોમંથન કરો કે મારે જેવુ જીવન જોઈએ છે, તેવુ જ હુ જીવું છું ને?
તમે ખુશ હશો તો જ તમારા બધા સંબંધો તંદુરસ્ત હશે.
શું જોઈએ છે તમારે?
નકાબ કે મનનો અરીસો?
નિર્ણય લો, પસંદગી તમારી જ છે.
ખૂબ સરસ લેખ
LikeLiked by 2 people
ખૂબ ખૂબ ધન્યવાદ
LikeLiked by 2 people
👍
LikeLiked by 1 person
🙏
LikeLiked by 1 person