મન! મન શક્તિનો સ્ત્રોત છે, જે આપણે કરવા માંગીએ છીએ અને હાંસલ કરવા માંગીએ છીએ, અને આમ કરવા માટે આપણે મનને તાલીમ આપવાની જરૂર છે, અને આ યોગ્ય વલણ અને ઈચ્છા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.
હવે મન અન્ય વિચાર પેદા કરે છે, આવું કેવી રીતે કરવું? તે સરળ છે, આપણું મન પુનરાવર્તિત ક્રિયાઓ પર કામ કરે છે, મન ફક્ત વિચારની પ્રક્રિયા કરે છે. ટૂંકમાં, જે પ્રક્રિયા આપણે જોઈએ છીએ, આપણે અનુભવીએ છીએ, આપણે જીવીએ છીએ અને જે કંઈ કરીએ છીએ તે આપણું મન સ્વીકાર કરે છે અને વિચારે છે, ચોક્કસ રીતે પુનરાવર્તિત વિચારસરણી શરૂ કરે છે, તે આપણું તત્વજ્ઞાન અથવા માનસિકતા બની જાય છે, જે સતત તે વસ્તુઓ કરે છે અને તેને આદતમાં રૂપાંતર કરે છે અને આખરે તે જીવન શૈલી બની જાય છે. આપણે મનની ટેવ જાણીએ છીએ. તે એક જ સમાન વિચારો કરે છે. તેથી તમારે તમારા જીવનમાં જે જોઈએ તે વિચારવું જોઈએ. જો તમે તમારા જીવનથી સંતુષ્ટ ન હોવ તો તમારા મનમાં લાલ સિગ્નલ આપો કે અલગ રીતે કામ કરવા માટે, અલગ રીતે વિચારો.
તમે તમારા વિચાર પ્રક્રિયા ને સમયસર દેખરેખ/ નિયંત્રણ કરવા ની ટેવ વિકસાવી જુઓ. કારણ કે આપણા વિચારો અને માનસિકતા આપણા વાતાવરણથી પેદા થાય છે જેમાં માતા-પિતા, મિત્રો, સાથીદારો વગેરેનો સમાવેશ થાય છે. પણ હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ મને સુખ આપે છે કે નહીં? જો જવાબ “હા” છે તો તમે ચોક્કસપણે સારું જીવન જીવો છો પણ જો જવાબ “ના” છે, તો ચોક્કસપણે આપણે સાચા માર્ગ પર નથી, તે આના જેવું છે જેમ કે આપણે ઘેટાની જેમ દરેકને અનુસરતા છીએ, કોઈ હેતુ નથી કે દિશા નથી. આને લીધે આપણે બીબાઢાળ વિચાર સાથે જીવન પસાર કરીએ છે, હવે તે વિચાર પ્રક્રિયામાં બદલાવ માંગે છે જે ચોક્કસપણે વધુ સારી જીવન શૈલી તરફ દોરી જાય છે.
હવે ફરી પ્રશ્ન ઊભો થાય છે કે આપણે આ કેવી રીતે કરી શકીએ? આનો જવાબ પાંચ-પગલાંની પ્રક્રિયા છે જે મદદ કરી શકે છે.
પગલુ -1: તમારા જીવનમાં જે વસ્તુઓ તમે ઇચ્છો છો તેની યાદી તૈયાર કરો, તમારો ધ્યેય શું છે, તમે શું કરવા માગો છો અને તમે સૌથી વધુ શું કરવા માંગો છો. વસ્તુઓની સૂચિ તૈયાર કરીને અને તે દિશામાં કામ કરવાનું શરૂ કરી શકાય. તે વિચારોનું માળખું બનાવે છે, અને બિનજરૂરી વિચાર મન મા નહીં આવ્યા કરે.
પગલુ -2: પ્રથમ પગલુ પછી, તમે તમારી ક્રિયાઓ અને વિચારો દ્વારા પરિચિત થશો. આ સ્વ-જાગૃતિની સ્થિતિ છે આપણા જીવનમાં જે કાંઈ કરવાનું છે તે સ્વ-જાગૃતિ સુસંગત છે કે નહીં. તે ઉત્પાદક છે કે નહીં? તે અમારી મહત્વાકાંક્ષા તરફ છે કે નહીં? તે સુખ અને શાંતિ આપે છે કે નહીં વગેરે.
કેટલાક લોકો નકારાત્મક વિચારો ના શિકાર હોય છે, ભૌતિક જીવન વિશે વધારે મહત્ત્વાકાંક્ષી હોય છે. ઉદાહરણ તરીકે: બ્રાન્ડેડ વસ્તુઓ, કાર, નાણાં શક્તિ, સમાજમાં ઉચ્ચ દરજ્જો, મોટી કંપનીઓમાં નોકરી વગેરે. હા, આ વિચારવું જરૂરી છે અને ભૌતિક વસ્તુઓ ની પ્રાપ્તિ અનિવાર્ય છે પરંતુ માત્ર તેના વિચારો નકારાત્મકતા ની નિશાની છે. ઈર્ષ્યા, અસંતોષ, શોક, કુટિલતા, ભય, નકારાત્મકતા ના મૂળ છે. સાવચેત રહો, તે સાચો રસ્તો નથી.
પગલું 3: તમારું રુચી/ રસ ક્ષેત્ર શોધો. જો તમે પહેલાથી જ જાણો છો તો તેના તરફ કાર્ય કરવાનું શરૂ કરો. અને જેઓ પહેલેથી જ તેના પર કામ કરી રહ્યા છે તો અભિનંદન સાથી! જો તમે ઈચ્છતા હોવ તો તમારા વ્યવસાયમાં તમે પસંદગી નુ કામ કરી શકો છો. તમે તમારા કાર્યને પ્રેમ કરશો. આ વાસ્તવિકતા છે કે તમારે તમારા જીવનના કલ્યાણ માટે નાણાંકીય રીતે સ્થિર થવું પડશે. તેથી, વ્યવસાય પસંદ કરો કે જે તમે કામ કરવાનું પસંદ કરો છો. તે તમને પુષ્કળ શાંતિ અને સંતોષ આપશે. કાર્યબોજ/ કાર્યભાર વિશે ક્યારેય તણાવ ન કરો, કાર્યો વિશે નિરાશા ક્યારેય નહીં અનુભવાય. કારણ કે તમે જે કામ કરવા માગો છો આ ઊર્જાસભર સ્થિતિ તરફ દોરી જાય છે અને ક્યારેય થાક નહીં અનુભવાય. એકવાર તમે તમારા પ્રિય ક્ષેત્રમા કામ કરવાનું શરૂ કરી લો પછી પુષ્કળ નાણાં તમને મળશે. આ ખરેખર જાદુ છે!
પગલુ- 4: તમારા શોખને સમય આપો. તાજગી (રિફ્રેશમેન્ટ) માટે આ ખૂબ મહત્વનું છે. મનને પરિવર્તન પસંદ છે. જો તમે માત્ર એક કે બે કાર્યો વારંવાર કરો છો તો તે કંટાળાને નોતરું છે. તમારી રૂટિન એવી રીતે બનાવો કે જે તમને સંતોષ અને જીવનથી પૂર્ણ કરી શકે. જો તમે તમારા શોખને અનુસરો તો તમે ખુશ થશો.
પગલુ- 5: તમારા સ્વાસ્થ્ય- શારીરીક તેમજ માનસિક વિશે કાળજી લો. યોગ, ધ્યાનને આદત બનાવો.તે તમને જીવન માં એક દ્રષ્ટિ આપશે.
પગલાંઓ ઉપર અમલ કરો અને તમારા મનની જટિલતાને વ્યવસ્થિત રીતે ગોઠવણી કરો . તે તમારા ઉપર છે કે ક્યાં તમે ઊભા છો, તમે ક્યાં ચોક્કસ પાસામાં છો. તેને શોધો અને તેનો અમલ કરવાનો પ્રયાસ કરો. તમારા મન ને તે દિશામાં તાલીમ આપો કે જ્યાં તમે તમારી જીવન ની મુસાફરી કરવા માગો છો.
વ્યવસ્થિત વિચારસરણી દ્વારા તમે ક્યારેય તમારા જીવનના વિવિધ ક્ષેત્રોમાં/ પાસામાં ગેરસમજ ન કરો. પ્રથમ, તમારી જાતને સ્પષ્ટ કરો જેથી તમે ક્યારેય મૂંઝવણ ન કરી શકો. તમે સમયસર વધુ સારા વ્યક્તિ બની શકો છો અને તમારા પરિવાર, મિત્રો, તમારા પ્રિયજનો સાથે પણ જવાબદારીઓ ની સાથે આનંદ અનુભવી શકો છો .
આ લયબદ્ધ વિચાર પ્રક્રિયા તમારા વ્યવસાય, શોખ (હોબી), આરોગ્ય, કુટુંબ, મિત્રો વગેરે જેવા ઘણા પાસાઓ સાથે જીવનને સંતુલિત કરે છે. તમારા જીવનના દરેક તબક્કે સંતોષ અનુભવો તેથી તમારી આંતરિક સુંદરતા વધશે. આ મન, જીવન અને તમારા વિશે બધું જ છે. જટિલ પરંતુ અમલ દ્વારા સરળ!
Leave a Reply